ડાયાબિટીસ દર્દીઓ માટે મોટી ખુશખબર: હવે વર્ષમાં માત્ર 52 ઇન્જેક્શનથી સારવાર શક્ય
નવી દિલ્હી, તા. 15 જુલાઈ: ડાયાબિટીસની સારવારમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. દુનિયાનું પ્રથમ અઠવાડિયામાં એક વખત લેવાતું ઇન્સ્યુલિન હવે ભારતમાં પણ ઉપલબ્ધ બન્યું છે. આ નવી સારવારથી દર્દીઓને દરરોજ ઇન્સ્યુલિન લેવાની જગ્યાએ હવે માત્ર અઠવાડિયામાં એક વખત, એટલે કે વર્ષમાં 365 ઇન્જેક્શનના બદલે માત્ર 52 ઇન્જેક્શન લેવા પડશે.
આ નવા ઇન્સ્યુલિનનો મુખ્ય હેતુ દર્દીઓ માટે સારવારને વધુ સરળ, અનુકૂળ અને નિયમિત બનાવવાનો છે. રોજ ઇન્જેક્શન લેવાની ઝંઝટ ઘટતાં દર્દીઓમાં સારવારનું પાલન (Compliance) વધવાની તેમજ જીવનની ગુણવત્તામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડાયાબિટીસ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ઇન્સ્યુલિનનો ઉપયોગ દરેક દર્દી માટે યોગ્ય હોય તે જરૂરી નથી. દર્દીની તબિયત, ડાયાબિટીસનો પ્રકાર અને અન્ય આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ તબીબની સલાહ મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ.
આ નવી સારવાર ભારતના લાખો ડાયાબિટીસ દર્દીઓ માટે આશાજનક સાબિત થઈ શકે છે અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સ્વરાજ ટુડે ન્યૂઝ


.jpeg)