તારીખ: 14 જુલાઈ, 2026
સ્થળ: રાજકોટ
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં અષાઢી બીજ નિમિત્તે એક દિવસ બજાર બંધ રહેશે
રાજકોટ સ્થિત શ્રી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ (બેડી માર્કેટ યાર્ડ) દ્વારા અષાઢી બીજના પાવન તહેવાર નિમિત્તે એક દિવસ માટે તમામ વેપારિક કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બજાર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અષાઢી બીજના અવસરે યાર્ડમાં કૃષિ ઉપજની ખરીદી-વેચાણ સહિતની તમામ કામગીરી એક દિવસ માટે બંધ રહેશે. આથી ખેડૂતો, વેપારીઓ, આડતિયાઓ, હમાલો તથા અન્ય સંકળાયેલા લોકોને તે મુજબ આગોતરું આયોજન કરવા અનુરોધ કરવામાં આવે છે.
બજાર સમિતિએ જણાવ્યું છે કે રજાનો દિવસ પૂર્ણ થયા બાદ આગામી કાર્યદિવસથી બજારની તમામ કામગીરી નિયમિત રીતે ફરી શરૂ કરવામાં આવશે.
– સ્વરાજ ટુડે ન્યૂઝ
સત્ય, પારદર્શક અને નિષ્પક્ષ સમાચાર

